
વિકસિત ભારત સંકલ્પ અભિયાન હેઠળ નશામુક્ત યુવા પહેલ
#GS-2 #GS-3 #GS-4 #ગવર્નન્સ અને સામાજિક ન્યાય #આરોગ્ય #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #નીતિશાસ્ત્ર #યુવા વિકાસ #આંતરિક સુરક્ષા
શા માટે ચર્ચામાં છે?
- ભારતના વડાપ્રધાને વિકસિત ભારત@2047 ના લક્ષ્યને મેળવવા માટે યુવાનોને નશાથી દૂર રાખવા નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન ની શરૂઆત કરી છે.
અભિયાન વિશે
- આ દેશવ્યાપી ઝુંબેશનો મુખ્ય હેતુ સમાજની ભાગીદારી અને તંદુરસ્ત જીવનશૈલી દ્વારા યુવાનોમાં નશાની ટેવ અટકાવવાનો અને વર્તનમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે.
- તેનો મુખ્ય ઉદ્દેશ્ય શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત યુવાપેઢી તૈયાર કરવાનો છે, જે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં મોટું યોગદાન આપી શકે.
મુખ્ય લક્ષણો
- આ પહેલ 100 અઠવાડિયા સુધી ચાલનારૂં રાષ્ટ્રીય અભિયાન છે, જે અંતર્ગત દર રવિવારે આખા દેશમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
- આ ઝુંબેશને દેશભરના 28,000 થી વધુ સ્થળોએ 125 થી વધુ આધ્યાત્મિક, શૈક્ષણિક, ઔદ્યોગિક અને જાહેર સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે.
- યુવાનો નશાથી દૂર રહે તે માટે આ અભિયાનમાં રમતગમત, કલા, સંસ્કૃતિ, ધ્યાન, આધ્યાત્મિકતા અને સમાજસેવા જેવી પ્રવૃત્તિઓ જોડવામાં આવી છે.
- નશાકારક પદાર્થોનો ત્યાગ કરવા અને દેશને નશામુક્ત બનાવવા માટે એક કરોડ થી વધુ યુવાનોએ રાષ્ટ્રીય સંકલ્પ લીધો છે.
- આ અભિયાન પુનર્વસન કેન્દ્રો દ્વારા વ્યાવસાયિક મદદ લેવા પર ભાર મૂકે છે અને નશામાંથી બહાર આવતા લોકોને સમાજમાં બીજી તક આપવાનો સંદેશ આપે છે.
મહત્વ
- તે વિકસિત ભારત@2047 ના સ્વપ્નને સાકાર કરવા માટે જરૂરી એવા સક્ષમ અને તંદુરસ્ત યુવાધનનું નિર્માણ કરે છે.
- આ પ્રવૃત્તિઓથી નશાનું પ્રમાણ ઘટે છે, ગેરકાયદેસર ડ્રગ સ્મગલિંગ નેટવર્ક નબળું પડે છે અને સમાજની આંતરિક તાકાત વધે છે.
પરીક્ષા પાઠ્યક્રમ સાથે સંબંધ
- GS પેપર II હેઠળ, તે સ્વાસ્થ્ય, કલ્યાણકારી યોજનાઓ, નબળા વર્ગો અને સરકારી નીતિઓ સાથે સંકળાયેલ છે.
- GS પેપર III માં, આ વિષય આંતરિક સુરક્ષા, ડ્રગ ટ્રાફિકિંગ, નાર્કો-ટેરરિઝમ અને માનવ સંસાધન વિકાસ સાથે જોડાયેલો છે.
- GS પેપર IV માં, આ બાબત નીતિશાસ્ત્ર, સામૂહિક ભાગીદારી, સામાજિક જવાબદારી અને વર્તણૂક પરિવર્તન સાથે સંબંધ ધરાવે છે.