
જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ મળ્યા
#GS-3 #અર્થતંત્ર #માળખાકીય સુવિધા #વિજ્ઞાન અને ટેકનોલોજી #પર્યાવરણ #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા
શા માટે ચર્ચામાં છે?
- શ્રીમતી વર્ષા અશોક અગલાવે એ જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI) ના 54મા ડિરેક્ટર જનરલ તરીકે પદ સંભાળ્યું છે. આ સંસ્થાના 176 વર્ષ ના ઇતિહાસમાં વડા બનનારા તેઓ પ્રથમ મહિલા છે.
GSI નો પરિચય
- જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એ ભારતની મુખ્ય ભૂવૈજ્ઞાનિક સંસ્થા છે. તે દેશના ખનિજોની માહિતી એકઠી કરે છે, નકશા બનાવે છે અને સંશોધન કરે છે. આ સંસ્થા ખાણ મંત્રાલય હેઠળ કામ કરે છે.
સ્થાપના અને ઇતિહાસ
- આ સંસ્થાની શરૂઆત ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1836 થી 1848 વચ્ચે કોલસાની શોધ સાથે થઈ હતી. ત્યારબાદ 1848 ના એક રિપોર્ટમાં જોન મેક્લેલેન્ડ એ પહેલી વાર જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા નામ વાપર્યું હતું.
- વર્ષ 1851 માં આ સંસ્થાની વિધિવત સ્થાપના થઈ હતી. તે સમયે ભારતીય રેલ્વે ના વિકાસ માટે કોલસાના ભંડારો શોધવાનું મુખ્ય કામ હતું.
- સંસ્થાનું સતત કામ 4 માર્ચ 1851 થી શરૂ થયું હતું. ટ્રિનિટી કોલેજ ડબલિન ના પ્રોફેસર સર થામસ ઓલ્ડહામ ભારતમાં આવ્યા અને પહેલા ડિરેક્ટર બન્યા.
મુખ્ય હેતુ
- GSI નો મુખ્ય હેતુ ભારતની જમીન અને દરિયાઈ વિસ્તારની ભૂસ્તરીય માહિતી એકઠી કરવાનો છે. આ સાથે તે ખનિજ ભંડારોની ગણતરી કરે છે, સરકારને નીતિ બનાવવામાં મદદ કરે છે અને કુદરતી આપત્તિઓનું જોખમ ઘટાડે છે.
મુખ્ય કાર્યો
- GSI જમીન, હવા, અવકાશ અને દરિયાઈ સર્વે દ્વારા ભારતની ભૂસ્તર રચનાના ચોક્કસ નકશા તૈયાર કરે છે.
- તે દેશના પાણી, ઉર્જા અને ખનિજ સંસાધનોની તપાસ કરે છે. અત્યારે તે લિથિયમ, રેર અર્થ એલિમેન્ટ્સ, તાંબુ અને કોબાલ્ટ જેવા મહત્વના ખનિજો શોધવા પર વધુ ધ્યાન આપે છે.
- આ સંસ્થા પુલ અને રસ્તા જેવા મોટા પ્રોજેક્ટ્સ માટે જમીનની ચકાસણી કરે છે. આ સિવાય તે ભૂકંપ, ભૂસ્ખલન, હિમનદીઓ અને આપત્તિના જોખમોનો અભ્યાસ કરે છે.
- તે ડિજિટલ ટેકનોલોજીની મદદથી દેશભરના ભૂવૈજ્ઞાનિક ડેટાને એક જ જગ્યાએ સાચવવાનું કામ કરે છે.
- તે ભારતીય અને વિદેશી યુનિવર્સિટીઓ સાથે મળીને ધ્રુવીય પ્રદેશો, અશ્મિઓ અને આબોહવા પરિવર્તન પર સંશોધન કરે છે.