રાજ્યસભાની ઉમેદવારી રદ થવાની સમગ્ર પ્રક્રિયા અને જોગવાઈઓ

રાજ્યસભાની ઉમેદવારી રદ થવાની સમગ્ર પ્રક્રિયા અને જોગવાઈઓ

#જીએસ-2 #ભારતીય રાજવ્યવસ્થા અને બંધારણ #બંધારણ #સંસદ

શા માટે ચર્ચામાં છે?

  • મધ્યપ્રદેશમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા મીનાક્ષી નટરાજન ની રાજ્યસભાની ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન રિર્ટનિંગ ઓફિસર દ્વારા સત્તાવાર રીતે નકારી કાઢવામાં આવી છે.

ઉમેદવારી રદ થવા અંગે

  • રાજ્યસભાની ઉમેદવારી રદ થવાનો અર્થ કોઈ વ્યક્તિના ઉમેદવારી પત્ર કાયદેસર રીતે નામંજૂર થવા અથવા સંસદના ઉપલા ગૃહના સભ્યનું પદ છીનવાઈ જવાથી છે.
  • આવી સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે કોઈ વ્યક્તિ બંધારણીય લાયકાત પૂરી ન કરી શકે અથવા દેશના ધારાસભ્યોની પવિત્રતા જાળવવા માટે બનાવેલા ખાસ કાયદાઓનો ભંગ કરે.

બંધારણીય જોગવાઈઓ અને સંબંધિત કાયદાઓ

  • ભારતના બંધારણના અનુચ્છેદ 102 માં સંસદ સભ્યને અલાયદા રાખવાના મુખ્ય કારણો જણાવ્યા છે, જેવા કે લાભનું પદ ભોગવવું, અસ્થિર મગજના હોવું અથવા નાદાર જાહેર થવું.
  • લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 પ્રકરણ 3 હેઠળ ગુનાઓ, ફોજદારી કેસો અને અરજીની ભૂલો વિશે નિયમો આપે છે, જે નાગરિકને ચૂંટણી લડતા રોકે છે.
  • ચૂંટણી સંચાલન નિયમો, 1961 હેઠળ ફોર્મ 26 માં સોગંદનામું આપવું ફરજિયાત છે, જેમાં ફોજદારી કેસો, સંપત્તિ, દેવું, ભણતર અને આવકવેરાની વિગતો આપવાની હોય છે.

કોણ પગલાં લઈ શકે છે?

  • રિર્ટનિંગ ઓફિસર (RO) પાસે ઉમેદવારી પત્રોની ઝીણવટભરી તપાસ કરવાની અને જો ફોર્મ અધૂરા હોય કે ખોટી માહિતી હોય તો તેને રદ કરવાની વહીવટી સત્તા હોય છે.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ ગેરલાાયકાતના ધોરણો

  • લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(1) મુજબ લાંચ, બળાત્કાર, ભ્રષ્ટાચાર, કોમી વૈમનસ્ય ફેલાવવું અથવા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા જેવા ગંભીર ગુનાઓમાં દોષિત ઠરે તો ચૂંટણી લડવા પર તરત પ્રતિબંધ લાગે છે.
  • લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(2) મુજબ જમાખોરી, સંગ્રહખોરી અથવા ખોરાક-દવાની બનાવટના ગુનામાં છ મહિના કે તેથી વધુની સજા થાય તો ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠરે છે.
  • લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(3) મુજબ કોઈપણ ગુનામાં બે વર્ષ કે તેથી વધુ જેલની સજા થાય તો વ્યક્તિ જેલવાસ દરમિયાન અને છૂટ્યા પછી છ વર્ષ સુધી ચૂંટણી લડી શકતી નથી.
  • લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8A મુજબ લાંચ આપવી, બૂથ કેપ્ચર કરવું કે મતદારોને ડરાવવા જેવા ગેરરીતિના કેસોમાં દોષિત સાબિત થયેલા ઉમેદવારો પર છ વર્ષ સુધીનો પ્રતિબંધ મૂકી શકાય છે.
  • લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 9 મુજબ ભ્રષ્ટાચાર અથવા દેશ સામે બેવફાઈ બદલ નોકરીમાંથી કાઢી મૂકાયેલ સરકારી કર્મચારી પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકતો નથી.
  • લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 9A મુજબ સરકાર સાથે માલ પૂરો પાડવાના કે સરકારી કામોના સક્રિય કોન્ટ્રેક્ટ ધરાવતા લોકો હિતોના ટકરાવને રોકવા માટે અયોગ્ય ગણાય છે.
  • લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 10 મુજબ સરકારી કંપનીઓ માં મુખ્ય વ્યવસ્થાપક પદો સંભાળતી વ્યક્તિઓ સત્તાનો દુરુપયોગ કરી શકે છે તેથી તેઓ ગેરલાયક ઠરી શકે છે.
  • લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 10A મુજબ નક્કી કરેલા સમયની અંદર ચૂંટણી ખર્ચનો સાચો હિસાબ રજૂ ન કરવાથી ત્રણ વર્ષ માટે પ્રતિબંધ આવી શકે છે.
  • ફોર્મ 26 સોગંદનામા માં ફોજદારી કેસો, સંપત્તિ, દેવા કે નાણાકીય હિતોની માહિતી છુપાવવાથી અગત્યની હકીકતો છુપાવવા બદલ રિર્ટનિંગ ઓફિસર ઉમેદવારી ફોર્મ રદ કરી શકે છે.