
ઇન્દિરા પોઈન્ટનું સમારકામ અને પ્રવાસન વિકાસ યોજના
#GS-1 #ભૂગોળ #ભૌતિક ભૂગોળ #GS-3 #માળખાકીય સુવિધા #પર્યાવરણ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે ઇન્દિરા પોઈન્ટ ખાતેની દીવાદાંડીને મજબૂત કરવા અને પ્રવાસન કેન્દ્ર બનાવવા માટે CRZ મંજૂરી માંગી છે.
ઇન્દિરા પોઈન્ટ વિશે
- ઇન્દિરા પોઈન્ટ એ ભારતની મુખ્ય સરહદનું સૌથી દક્ષિણનું સ્થળ છે, જ્યાં દરિયાઈ વાહનોના માર્ગદર્શન માટે 35 મીટર ઊંચી દીવાદાંડી આવેલી છે.
- આ સ્થળ અંદમાન અને નિકોબાર ટાપુઓ માં આવેલા ગ્રેડ નિકોબાર ટાપુ ના છેવાડાના દક્ષિણ ભાગમાં આવેલું છે.
- તે ગલાથિયા બે ની નજીક છે, જ્યાં ભારત સરકાર ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ (ICTP) બનાવવાની તૈયારી કરી રહી છે.
ઇતિહાસ અને નામકરણ
- બ્રિટિશ શાસન અને આઝાદીના શરૂઆતના વર્ષોમાં આ જગ્યા પિગ્મેલિયન પોઈન્ટ અથવા પાર્સન્સ પોઈન્ટ તરીકે ઓળખાતી હતી.
- વર્ષ 1984 માં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની મુલાકાત બાદ, તેમની યાદમાં 1985 માં આ સ્થળનું નામ બદલીને ઇન્દિરા પોઈન્ટ રાખવામાં આવ્યું હતું.
- ભારતની દરિયાઈ સરહદ સુરક્ષિત કરવા માટે એપ્રિલ 1972 માં આ લોખંડી દીવાદાંડી શરૂ કરવામાં આવી હતી.
મુખ્ય વિશેષતાઓ
- વર્ષ 2004 ના સુનામીમાં જમીન 2.04 મીટર બેસી ગઈ હતી, જેના કારણે દીવાદાંડીનો પાયો પાણીમાં ડૂબી ગયો હતો અને તે 3.86 ડિગ્રી નમી ગઈ હતી.
- આ વિસ્તાર ICRZ-1A હેઠળ આવે છે, જ્યાં મેન્ગ્રોવ, પરવાળાની ખડકો, રેતીના ઢુવા અને દરિયાઈ કાચબાના રહેઠાણનું રક્ષણ કરાય છે.
- IIT મદ્રાસે ડૂબેલા પાયાના સમારકામ, બ્રેકવોટર, રસ્તો, પાવરહાઉસ અને કર્મચારીઓ માટે ઊંચા ક્વાર્ટર બનાવવાનો નકશો તૈયાર કર્યો છે.
- અહીં વ્યુઇંગ ટાવર, મરીન મ્યુઝિયમ, કન્વેન્શન સેન્ટર, કાફેટેરિયા, સાયકલ ટ્રેક અને રાષ્ટ્રીય સ્મારક બનાવવાનું આયોજન છે.
મહત્વ
- ઇન્દિરા પોઈન્ટનો વિકાસ કરવાથી ઇન્ડિયન ઓશન માં ભારતનો વ્યૂહાત્મક પ્રભાવ વધશે અને EEZ પરનો દાવો મજબૂત થશે.
- દીવાદાંડી સુધરવાથી ગલાથિયા બે ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ તરફ આવતા આંતરરાષ્ટ્રીય જહાજો માટે દરિયાઈ મુસાફરી વધુ સુરક્ષિત બનશે.