અરુણાચલ પ્રદેશમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને વાઇટ-બેલીડ હેરોન પર તોળાતું સંકટ

અરુણાચલ પ્રદેશમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને વાઇટ-બેલીડ હેરોન પર તોળાતું સંકટ

#GS-3 #પર્યાવરણ #વન્યજીવન #જૈવવિવિધતા #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય

શા માટે ચર્ચામાં છે?

  • અરુણાચલ પ્રદેશમાં લોહિત નદી પર પ્રસ્તાવિત 1,200 MW હાઇડ્રોપાવર પ્રોજેક્ટને કારણે વાઇટ-બેલીડ હેરોન પક્ષીના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થયો છે.
  • આ પક્ષી હાલમાં વિશ્વના સૌથી દુર્લભ અને સૌથી વધુ જોખમ ધરાવતા પક્ષીઓમાંનું એક ગણાય છે.

વાઇટ-બેલીડ હેરોન વિશે

  • વાઇટ-બેલીડ હેરોન (Ardea insignis) ને ઇમ્પિરિયલ હેરોન અથવા ગ્રેટ વાઇટ-બેલીડ હેરોન તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • તે Ardeidae પરિવારનું પક્ષી છે અને વિશ્વનો બીજો સૌથી મોટો બગલો ગણાય છે.
  • તે પૂર્વ હિમાલયની ઝડપથી વહેતી નદીઓ અને શાંત કાંઠાના જંગલો પર જ સંપૂર્ણપણે નિર્ભર રહે છે.
  • આ પક્ષી દરિયાઈ સપાટીથી 1,500 મીટર સુધીની ઊંચાઈએ નદીના છીછરા વહેણમાં રહેલી માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

શારીરિક અને વર્તણૂક સંબંધિત લાક્ષણિકતાઓ

  • ઊંડા પાણીમાંથી માછલી પકડવા માટે તેની ગરદન લવચીક અને ચાંચ ધારદાર તથા કરવત જેવી હોય છે.
  • તેના ટૂંકા પગ અને મજબૂત શરીર તેને ઝડપી પ્રવાહમાં સ્થિર રાખે છે, જ્યારે તેના લાંબા પંજા લપસણા પથ્થરો પર પકડ જાળવવામાં મદદ કરે છે.
  • લગભગ 4 ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતું આ પક્ષી માછલી નજીક આવે ત્યાં સુધી એકદમ સ્થિર ઊભું રહે છે અને તરત જ ઝડપી હુમલો કરે છે.
  • તે મોટે ભાગે એકલું રહેવાનું પસંદ કરે છે, સવારે અને સાંજે ઊંડો અવાજ કરે છે અને ઊંચા વૃક્ષો પર પોતાના માળા બનાવે છે.

સંરક્ષણ સ્થિતિ અને વિતરણ

  • IUCN રેડ લિસ્ટમાં તેને ક્રિટિકલી એન્ડેન્જર્ડ શ્રેણીમાં રાખવામાં આવ્યું છે, અને ભારતમાં વન્યજીવ સંરક્ષણ કાયદો, 1972 ની શિડ્યુલ-I હેઠળ તેને સર્વોચ્ચ કાનૂની સુરક્ષા મળેલી છે.
  • સમગ્ર વિશ્વમાં ભૂતાન, ભારત, મ્યાનમાર, ચીન અને બાંગ્લાદેશ મળીને કુદરતી વાતાવરણમાં 60 થી પણ ઓછા પક્ષીઓ બચ્યા છે.
  • વિશ્વની લગભગ 45% વસ્તી ભૂતાનમાં છે, જ્યાં 3 થી 5 પ્રજનન જોડી સક્રિય છે, જે આ પક્ષીઓનું મુખ્ય આશ્રયસ્થાન છે.
  • આ પક્ષી નેપાળમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ચૂક્યું છે અને બાંગ્લાદેશમાં પણ તે લુપ્ત થઈ ગયું હોવાની સંભાવના છે.
  • ભારતમાં માત્ર 6 થી 9 પક્ષીઓ બચ્યા છે, જે મુખ્યત્વે અરુણાચલ પ્રદેશની નોઆ-દિહિંગ નદી, લાહમ નદી અને લોહિત નદી કિનારે જોવા મળે છે.
  • ભારતની કુલ વસ્તીના 70% પક્ષીઓ લાહમ નદીના વિસ્તારમાં છે, અને પ્રોજેક્ટ સાઇટ નજીક આવેલું વાલોંગ કેન્ટોનમેન્ટ તેમનું જાણીતું પ્રજનન સ્થળ છે.

પારિસ્થિંતિક મહત્વ અને પડકારો

  • આ પક્ષી હિમાલયન મીઠા પાણીની નિવસનતંત્ર માટે બાયો-ઇન્ડિકેટર છે, જે પાણીની ગુણવત્તા અને માછલીઓની સારી સંખ્યા દર્શાવે છે.
  • હાઇડ્રોપાવર ડેમ નદીના કુદરતી વહેણને રોકે છે, રહેઠાણોનું વિભાજન કરે છે અને પાણીની ગુણવત્તા બગાડે છે, જેથી આ પક્ષીના ખોરાક પર માઠી અસર પડે છે.
  • રહેઠાણોનો નાશ, શિકાર, માનવીય દખલગીરી અને ખૂબ જ મર્યાદિત જનીનિક વિવિધતા તેના લુપ્ત થવાના જોખમને વધારે છે.

આગળનો માર્ગ

  • ભારત સરકારે આ લુપ્તપ્રાય પક્ષીઓને બચાવવા માટે ખાસ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્રો શરૂ કરવાની જરૂર છે.
  • ભારતે ભૂતાનના સફળ મોડેલમાંથી શીખવું જોઈએ, જેણે આ સંકટગ્રસ્ત પક્ષીના ઇંડા સેવવા અને બચ્ચાઓને ઉછેરવા માટે વિશ્વનું પ્રથમ કેપ્ટિવ સેન્ટર શરૂ કર્યું છે.