
MANAS: નશીલા પદાર્થોના દૂષણ સામે ભારતનું રાષ્ટ્રીય ડિજિટલ હેલ્પલાઈન પ્લેટફોર્મ
#GS-2 #ગવર્નન્સ અને સામાજિક ન્યાય #આરોગ્ય #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- ભારતને નશા મુક્ત બનાવવા માટે સરકારે MANAS જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નાગરિકોની ભાગીદારી વધારવાની પહેલ કરી છે.
MANAS પ્લેટફોર્મ વિશે
- આ પ્લેટફોર્મ 18 જુલાઈ 2024 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. MANAS નું પૂરું નામ મહાદાક પદાર્થ નિષેધ સૂચના કેન્દ્ર છે. તે ગૃહ મંત્રાલય ના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો હેઠળ ચાલતી રાષ્ટ્રીય હેલ્પલાઈન છે.
પહોંચ અને ભાગીદારી
- આ પ્લેટફોર્મ ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશન સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે. નાગરિકો ટોલ-ફ્રી નંબર 1933, ઓફિશિયલ પોર્ટલ, ઈમેલ અને UMANG એપ દ્વારા તેનો ઉપયોગ કરી શકે છે.
મુખ્ય ઉદ્દેશ્ય
- નાગરિકો પોતાની ઓળખ છુપાવીને ડ્રગ્સની ગેરકાયદેસર હેરાફેરી, વેચાણ કે ખેતી વિશે ગુપ્ત રીતે ફરિયાદ નોંધાવી શકે છે.
કાઉન્સેલિંગ અને પુનર્વસન
- નશાથી પીડાતા લોકો અહીં કાઉન્સેલિંગ અને નશા મુક્તિ માટે મદદ મેળવી શકે છે. આ માટેના કોલ સામાજિક ન્યાય અને આધિકારિતા મંત્રાલય ની હેલ્પલાઈન 14446 પર ટ્રાન્સફર કરવામાં આવે છે.
ડિજિટલ કાર્યપદ્ધતિ
- આ પ્લેટફોર્મ પર ડિજિટલ ટિકિટ જનરેટ થાય છે અને ડેટા એનાલિટિક્સ વડે નશાના હોટસ્પોટ વિસ્તાર શોધીને તપાસ એજન્સીઓને ઝડપી કામગીરી કરવા મદદ મળે છે.
એજન્સીઓનું જોડાણ
- MANAS પ્લેટફોર્મ નાગરિકોને 30 NCB ઝોનલ યુનિટ અને 36 રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સાથે સીધા જોડે છે.
MANAS નું મહત્વ
- આ પહેલથી ગુપ્ત રીતે માહિતી આપવાની સુવિધા મળી છે, કાઉન્સેલિંગ સરળ બન્યું છે અને નશાના કારોબાર સામે લડવામાં સામાન્ય નાગરિકોની ભાગીદારી વધી છે.