
ઈઝ ઓફ લિવિંગ: સરકારી પહેલો અને તેના પરિણામો
#GS-2 #GS-3 #ગવર્નન્સ અને સામાજિક ન્યાય #સુશાસન #ઇન્ફ્રાસ્ટ્રક્ચર #સરકારી નીતિઓ અને હસ્તક્ષેપ #રાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- સરકારે 2014 થી 2026 વચ્ચેના 12 વર્ષ માં ભારતમાં થયેલા સર્વસમાવેશી વિકાસ અને નાગરિક-કેન્દ્રી શાસન સુધારાઓની માહિતી આપી છે.
- મકાન, ગેસ, પાણી, વીજળી, શૌચાલય, રોડ કનેક્ટિવિટી અને ડિજિટલ સેવાનો વિસ્તાર થવાથી લોકોનું જીવન વધુ સરળ બન્યું છે.
આવાસ અને મૂળભૂત સુવિધાઓ
- શહેરી ગરીબોને પક્કા ઘર આપવા માટે 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) શરૂ કરવામાં આવી હતી.
- વર્ષ 2024 માં શરૂ થયેલી PMAY-U 2.0 હેઠળ Rs. 2.5 લાખ સુધીની સહાય મળે છે, જેમાં ઘરની માલિકી મહિલાના નામે હોવી ફરજિયાત છે.
- અત્યાર સુધીમાં PMAY-U હેઠળ 1.25 કરોડ થી વધુ મકાનો મંજૂર કરાયા છે, જેમાંથી 98 લાખ થી વધુ ઘરોનું કામ પૂરું થઈ ગયું છે.
- ગામડાઓ માટે 2016 માં PMAY-G યોજના શરૂ કરાઈ, જેમાં મેદાની વિસ્તાર માટે Rs. 1.20 લાખ અને પહાડી વિસ્તાર માટે Rs. 1.30 લાખ ની મદદ અપાય છે.
- વર્ષ 2016 થી 2026 વચ્ચે 3.98 કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક હતો, જેમાંથી 3.91 કરોડ ઘર મંજૂર થયા અને 3.05 કરોડ ઘરો બની ગયા છે.
- ગામડામાં બનેલા મકાનોમાંથી લગભગ 75% ઘરોની માલિકી મહિલાઓ અથવા સંયુક્ત નામે છે.
- આ ઘરોમાં શૌચાલય, પીવાનું પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પણ અન્ય યોજનાઓ સાથે જોડીને આપવામાં આવી છે.
- શહેરોમાં સુવિધાઓ સુધારવા 2015 માં AMRUT યોજના લાવવામાં આવી હતી, જેણે 500 શહેરોમાં પાણી અને ડ્રેનેજની સુવિધાઓ વધારી.
- વર્ષ 2021 માં AMRUT 2.0 શરૂ કરીને દેશના તમામ 4,800 શહેરોને આવરી લેવાયા, જેના માટે Rs. 2.99 લાખ કરોડ નું બજેટ રખાયું છે.
- અગાઉની યોજનાઓ કરતા AMRUT હેઠળ શહેરી સુવિધાઓ માટે Rs. 2.79 લાખ કરોડ ના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
મૂળભૂત જરૂરિયાતોની સાર્વત્રિક પહોંચ
- મે 2016 માં શરૂ થયેલી ઉજ્જવલા યોજના (PMUY) એ ગામડાની મહિલાઓને રાંધણ ગેસ આપીને ધુમાડાથી મુક્તિ અપાવી છે.
- સૌપ્રથમ 8 કરોડ સિલિન્ડર આપવાનો લક્ષ્યાંક 2019 માં પૂરો થયો, ત્યારબાદ ઉજ્જવલા 2.0 શરૂ કરીને વધુ લોકોને જોડવામાં આવ્યા.
- અત્યાર સુધી 10.57 કરોડ થી વધુ ગેસ કનેક્શન અપાયા છે. દેશમાં ગેસ જોડાણનું પ્રમાણ 2014 માં 55.9% હતું જે 2026 માં વધીને 107.2% થયું છે.
- વર્ષ 2019 માં શરૂ થયેલા જલ જીવન મિશન (JJM) હેઠળ નળથી જળ કનેક્શન 3.23 કરોડ થી વધીને 15.86 કરોડ પરિવારો સુધી પહોંચી ગયા છે.
- પાણીની સુવિધા મળવાથી 9 કરોડ મહિલાઓની હેરાનગતિ ઘટી છે અને 1.81 લાખ ગામડાં હર ઘર જલ તરીકે પ્રમાણિત થયા છે.
- પાણીની ગુણવત્તા તપાસવા માટે 2,843 પ્રયોગશાળાઓ બનાવાઈ છે અને 24.80 લાખ મહિલાઓને ટેસ્ટિંગ કિટ વાપરવાની તાલીમ અપાઈ છે.
- માર્ચ 2026 માં આ મિશનને JJM 2.0 તરીકે ડિસેમ્બર 2028 સુધી લંબાવાયું છે, જેનું કુલ બજેટ Rs. 8.69 લાખ કરોડ છે.
- ગામડામાં શૌચાલય બનાવવાની સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાથી સ્વચ્છતાનું પ્રમાણ 2014 માં 39% થી વધીને 2019 માં 100% થઈ ગયું.
- જૂન 2026 સુધીમાં 12.14 કરોડ વ્યક્તિગત શૌચાલય અને 2.76 લાખ સામૂહિક શૌચાલય સંકુલ બનાવવામાં આવ્યા છે.
- દેશના 5.69 લાખ થી વધુ ગામડાં ઓપન ડિફેકેશન ફ્રી (ODF Plus) બન્યા છે અને ત્યાં કચરા નિકાલની વ્યવસ્થા ઊભી કરાઈ છે.
- શહેરી વિસ્તારોમાં 2014 થી 2026 વચ્ચે 63 લાખ ઘરગથ્થુ શૌચાલય અને 6 લાખ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા.
- શહેરોમાં ઘરઘરથી કચરો એકઠો કરવાનું કામ 98% સુધી પહોંચ્યું છે અને કચરાનું પ્રોસેસિંગ 16% થી વધીને 82% થયું છે.
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના અહેવાલ મુજબ સ્વચ્છતા વધવાથી ઝાડા-ઉલટી જેવા રોગોથી થતા 3 લાખ બાળકોના અકાળ મૃત્યુ અટક્યા છે.
સૌ માટે વીજળી: સ્વચ્છ અને વિશ્વસનીય ઊર્જા
- દેશમાં કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 2014 ના 248 GW થી બમણી થઈને 2026 માં 532 GW કરતાં વધુ થઈ ગઈ છે.
- પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy) ની ક્ષમતા 76.38 GW થી વધીને 274.69 GW થઈ છે. ભારત હવે સ્વચ્છ ઊર્જામાં દુનિયામાં 3જા નંબરે છે.
- સૌર ઊર્જા ક્ષમતા 2.82 GW થી વધીને 150.26 GW અને પવન ઊર્જા ક્ષમતા 21.04 GW થી વધીને 56.09 GW થઈ છે.
- ગામડાઓમાં દૈનિક વીજળી પુરવઠો 2014 ના 12.5 કલાક થી વધીને 22.6 કલાક થયો છે, જ્યારે શહેરોમાં 23.4 કલાક વીજળી મળે છે.
- દેશમાં 5 લાખ સર્કિટ કિલોમીટર થી વધુ મોટી વીજ લાઈનો પથરાઈ ગઈ છે, જેનાથી ભારતનું પાવર ગ્રીડ દુનિયાનું સૌથી મોટું એકીકૃત ગ્રીડ બન્યું છે.
- વર્ષ 2017 માં શરૂ થયેલી સૌભાગ્ય યોજના હેઠળ 2.86 કરોડ ઘરોને મફત વીજ જોડાણ આપવામાં આવ્યા હતા.
- ફેબ્રુઆરી 2024 માં શરૂ થયેલી PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સોલાર પેનલ નાખવા માટે Rs. 78,000 સુધીની સબસીડી અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળે છે.
- મે 2026 સુધીમાં 40 લાખ થી વધુ ઘરોમાં સોલાર સિસ્ટમ લાગી ગઈ છે અને 1 કરોડ ઘરોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
- ઉજાલા (UJALA) યોજના હેઠળ 37 કરોડ LED બલ્બ વહેંચાયા છે, જેનાથી લોકોના વીજ બિલમાં વાર્ષિક Rs. 19,153 કરોડ ની બચત થઈ છે.
નાણાકીય સમાવેશન અને સશક્તિકરણ
- ઓગસ્ટ 2014 માં શરૂ થયેલી જન ધન યોજના (PMJDY) એ દેશના કરોડો ગરીબ નાગરિકોને પ્રથમ વખત બેંકિંગ સિસ્ટમ સાથે જોડ્યા.
- જન ધન ખાતાની સંખ્યા 14.72 કરોડ થી વધીને 58 કરોડ થી વધુ થઈ છે, જેમાં લોકોના Rs. 3 લાખ કરોડ થી વધુ રૂપિયા જમા છે.
- ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા 327 યોજનાઓના Rs. 6.9 લાખ કરોડ સીધા લોકોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા.
- ગરીબ પરિવારોને આર્થિક સુરક્ષા આપવા માટે 40.60 કરોડ RuPay ડેબિટ કાર્ડ સાથે મફત અકસ્માત વીમો આપવામાં આવ્યો છે.
- નાના વેપારીઓને ગેરંટી વગર લોન આપવા માટે 2015 માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) શરૂ કરવામાં આવી હતી.
- મુદ્રા યોજના હેઠળ Rs. 40 લાખ કરોડ ની 57.7 કરોડ લોન આપવામાં આવી, જેમાંથી 66% લોન મહિલા ઉદ્યોગસાહસિકોને મળી છે.
- આ લોન મેળવનારા અડધાથી વધુ લાભાર્થીઓ SC, ST અને OBC વર્ગના નાગરિકો છે.
- નવા તરુણ પ્લસ (Tarun Plus) કેટેગરી હેઠળ અગાઉની લોન ભરપાઈ કરનાર વેપારીઓ માટે લોનની મર્યાદા વધારીને Rs. 20 લાખ કરવામાં આવી છે.
પરિવહન અને કનેક્ટિવિટીમાં સુધારા
- ભારતનો રોડ નેટવર્ક 63.73 લાખ કિમી સાથે વિશ્વમાં બીજા નંબરે પહોંચ્યો છે, જેમાં નેશનલ હાઇવે વધીને 1,46,572 કિમી થયા છે.
- અટલ ટનલ, સુદર્શન સેતુ અને દ્વારકા એક્સપ્રેસવે જેવા મોટા પ્રોજેક્ટ્સથી મુસાફરીનો સમય ઘટ્યો છે અને વેપાર ઝડપી બન્યો છે.
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 4.11 લાખ કિમી પાકા રસ્તા બન્યા છે, જેનાથી 99.6% ગામડાં પાકા રસ્તાથી જોડાઈ ગયા છે.
- રેલવેનું 99.6% વીજળીકરણ પૂરું થયું છે અને કવચ (Kavach) સિસ્ટમના કારણે રેલ અકસ્માતો 135 થી ઘટીને માત્ર 16 થઈ ગયા છે.
- મુસાફરો માટે 162 વંદે ભારત ટ્રેનો અને મધ્યમ વર્ગ માટે અમૃત ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે.
- ઉડાન (UDAN) યોજના દ્વારા નાના શહેરોને જોડતા એરપોર્ટની સંખ્યા 74 થી વધીને 165 થઈ છે, જેનો 1.64 કરોડ લોકોએ લાભ લીધો છે.
- દેશના 26 શહેરોમાં 1,155 કિમી મેટ્રો નેટવર્ક ચાલુ થઈ ગયું છે, જે દુનિયામાં 3જું સૌથી મોટું મેટ્રો નેટવર્ક છે.
સુશાસન સુધારા
- જન વિશ્વાસ કાયદા દ્વારા નાના-મોટા સરકારી નિયમોના ભંગ બદલ જેલની સજા દૂર કરીને માત્ર આર્થિક દંડનો નિયમ બનાવાયો છે.
- વર્ષ 2026 ના સુધારેલા કાયદામાં 79 કેન્દ્રીય કાયદાઓની 717 જોગવાઈઓને ગુનામુક્ત કરવામાં આવી છે.
- સરકારી ફરિયાદોના નિકાલ માટેના CPGRAMS પોર્ટલ પર 6 લાખ ફરિયાદો ઉકેલાઈ છે, જેમાં 69.8% લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
- સરકાર સાથે સીધા જોડાવા માટેના MyGov પ્લેટફોર્મ પર 60 મિલિયન થી વધુ નાગરિકો નોંધાયેલા છે.
- વર્ષ 2021 માં શરૂ થયેલા PM ગતિશક્તિ પ્લેટફોર્મ સાથે 58 સરકારી મંત્રાલયો જોડાયા છે જેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્લાનિંગ એકસાથે થઈ શકે.
નિષ્કર્ષ
- ટેકનોલોજી અને નાગરિક-કેન્દ્રી શાસનને કારણે દેશના દરેક વર્ગ સુધી સરકારી સુવિધાઓ ઝડપથી પહોંચી રહી છે.
- મૂળભૂત સુવિધાઓ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાકીય સુરક્ષાથી વિકસિત ભારત 2047 ના લક્ષ્યાંકને ભરોસાપાત્ર આધાર મળ્યો છે.